અકસ્માત અને ધર્મ

ગ્રંથો કે મૂર્તિઓ પોતે અમર નથી તો મનુષ્યને કેવીરીતે બચાવી શકે?
અને જેમ 242 માંથી 1 બચી ગયો એમ 242×3=726નંગ સમાન માંથી 1 પુસ્તક બચી ગયું. એ પણ ચમત્કાર છે. ગ્રંથો તમને અમરત્વ ન આપી શકે. સારું જીવવાની પ્રેરણા આપી શકે.

કોઈ જો એમ કહે કે ધર્મગ્રંથ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને પણ અખંડ રહ્યો. તો એના ભૌતિક કારણો તપાસવા જોઈએ. પણ કોઈની શ્રદ્ધાનો અતિરેક એ અંધશ્રદ્ધા છે. અને પોતાના સંપ્રદાયનું મિથ્યાભિમાન છે. આપણા કાર્યકારણની સમજની બહાર છે.
આપણે એવી અપેક્ષા રાખીએ કે જે તે ગ્રંથ કે મૂર્તિ આપણું રક્ષણ કરશે. તો એ અપેક્ષા જ (પરિપૂર્ણ ન થાય ત્યારે) દુઃખ આપે છે.
માનવસહજ સ્વભાવથી કે લાગણીથી આપણે (તું) એવી અપેક્ષા રાખીએ છીએ કે મૂર્તિ કે ગ્રંથ આપણને બચાવી લેશે. એ જ દુઃખનું કારણ (કે આક્રોશનું) બને છે.
કોઈપણ પદાર્થ કે પ્રાણી નો અંત કે મૃત્યુ નિશ્ચિત છે એ આપણે જાણીએ છીએ છતાં અમરત્વની અપેક્ષા પરિપૂર્ણ ન થાય ત્યારે અન્ય માટે પણ આપણે દુઃખી થઈએ છીએ.
શ્રીમદ ભગવદ્દ ગીતામાં શ્રીકૃષ્ણ એ કહ્યું છે: શરીર એક માધ્યમ છે જે આત્મા દ્વારા કપડાની જેમ જીર્ણ થતા બદલાય છે આત્મા અમર છે. આ તત્વજ્ઞાન આપણે આત્મસાત કરવું જોઈએ જેથી આપણા કે પરાયા કે આપણી જાત (સ્વ) માટે અપેક્ષાઓ રાખીને દુઃખી ન થઈએ. માંદગી, ખોડખાપણ, અકસ્માત વગેરે થી થતી કષ્ટિ કે દુઃખ સહજતાથી સ્વીકારું. વધતી વય સાથે નિસ્પૃહી થવું. લાગણીઓ અને ઇન્દ્રિયોથી ધીમે ધીમે મુક્ત થતા જવું (વાનપ્રસ્થ આશ્રમઅને સન્યાસાશ્રમ) જેથી દુઃખ ઓછું અનુભવાય. જીભનો સ્વાદ, સુગંધ, દ્રશ્ય, શ્રાવણ, સ્પર્શ વગેરે દ્વારા મળતું સુખ કે આનંદ ઓછો કરતા જવાનો. જેથી અપેક્ષા અસંતુષ્ટ રહે તો પણ ગ્લાનિ ન અનુભવાય.
નિયતિ દ્વારા ઘટતી કોઈ પણ ઘટનાને સમત્વ થી સ્વીકારીએ તો આક્રોશ નહીં આવે
અસ્તુ.
(મારા અલ્પજ્ઞાન માંથી ઉદભવેલા વિચારો)

Facebook Comments